Rashtriya Dalit Adhikar Manch

Rashtriya Dalit Adhikar Manch संघर्ष, अस्मिता और अस्तित्व के लिए। Rashtriya Dalit Adhikar Manch
(121)

જૂનાગઢ જિલ્લાના માણાવદર તાલુકાના 97 જેટલા ગામોમાં રાષ્ટ્રીય દલિત અધિકાર મંચની ટીમે 18 મહિનાની સતત લડત બાદ 116 ગરીબ પરિવા...
29/06/2024

જૂનાગઢ જિલ્લાના માણાવદર તાલુકાના 97 જેટલા ગામોમાં રાષ્ટ્રીય દલિત અધિકાર મંચની ટીમે 18 મહિનાની સતત લડત બાદ 116 ગરીબ પરિવારોને પ્લોટ અપાવ્યા છે. વાંચો આ રિપોર્ટ.

જૂનાગઢ જિલ્લાના માણાવદર તાલુકાના 97 જેટલા ગામોમાં રાષ્ટ્રીય દલિત અધિકાર મંચની ટીમે 18 મહિનાની સતત લડત બાદ 116 ગરીબ પર....

આજે MRK હેલ્થકેર પ્રા. લિ., હાંસાપુર, પાટણ ખાતે એક અઠવાડીયાથી 400 કામદારોએ પોતાની ૧. પગાર વધારાની, ૨. અવાર-નવાર નોટીસો આ...
24/06/2024

આજે MRK હેલ્થકેર પ્રા. લિ., હાંસાપુર, પાટણ ખાતે એક અઠવાડીયાથી 400 કામદારોએ પોતાની
૧. પગાર વધારાની,
૨. અવાર-નવાર નોટીસો આપવાની,
૩. મરજી વિરુદ્ધ રાજીનામું લખાવી લેવડાવું,
૪. કર્મચારીઓને છુટા કરવાની ધમકી આપવી વિગેરે
માંગણીઓને લઈને કામ બંધ કરેલ.

જેમાં RDAM ટીમનો સંપર્ક કરતાં એક અઠવાડિયાથી કંપની, લેબર કમિશ્નર અને કામદારોના સતત સંપર્કમાં રહીને આજે અમદાવાદ શ્રમ ભવન ખાતે કંપનીના એડવોકેટ, જવાબદાર પ્રતિનિધિઓ તથા કામદારો સાથે પ્રતિનિધી તરીકે એડવોકેટ ડૉ. મનોજભાઈ પરમાર તથા એડવોકેટ સુબોધ કુમુદ હાજર રહેલ.

કામદારોની માંગણીઓ અને કંપની વચ્ચે થયેલી 2 કલાકની લાંબી મીટીંગ બાદ આજે કંપની અને કામદારો વચ્ચે સુખરૂપ નિવેડો આવી ગયો છે અને આવતીકાલથી કામદારો ફરીથી કામ શરૂ કરશે.

જીવનનો આ પ્રકારની મીટીંગનો પહેલો અનુભવ સુખદ અને સંતોષકારક રહ્યો. કામદારોને પણ ન્યાય મળ્યાનો અહેસાસ થયો.

#મજદુરએકતાઝીંદાબાદ

એડવોકેટ સુબોધ કુમુદ
8490919812
RDAM
https://www.facebook.com/share/p/3F4MCKTEo9yCRrVP/?mibextid=xfxF2i

23/03/2024
13/03/2024

રાષ્ટ્રીય દલિત અધિકાર મંચ દ્વારા ગાંધીધામ ખાતે કંડલા પોર્ટ ટ્રસ્ટ સામે 2 દિવસથી ભૂખ હડતાળ સાથે ધરણાં પ્રદર્શનનો પાંચમો દિવસ

आज बनासकांठा के थराद में RDAM के माध्यम से दलित, आदिवासी, ओबीसी और रिटायर्ड आर्मी के भूमिहीन किसानों को बरसो पहले आवंटित...
26/02/2024

आज बनासकांठा के थराद में RDAM के माध्यम से दलित, आदिवासी, ओबीसी और रिटायर्ड आर्मी के भूमिहीन किसानों को बरसो पहले आवंटित की गई जमीनों का कब्जा जल्द से जल्द दिया जाएं उसके लिए थराद प्रांत साहब को ज्ञापन दिया गया।

अगर आनेवाली 14 अप्रैल तक यह काम पुरा नहीं किया गया तो आनेवाली 14 अप्रैल को आंदोलन करने पर मजबुर होना पड़ेगा।

इस मौके पर RDAM की तरफ से एड. सुबोध कुमुद, कमलेश कटारिया, सतीश वनसोला और अमरनाथ जी उपस्थित रहे।

प्रवीण वरण और बनासकांठा दलित संगठन के साथी शांतिलाल राठौड़, चमनभाई सोलंकी ने भी इस संघर्ष में अपना सहयोग दिया।

इस कार्यक्रम को सफल बनाने में पथुभाई राठोड़, बनासकांठा जिला RDAM प्रमुख, निलेशभाई सेंगल थराद RDAM प्रमुख और सेंधाभाई परमारने अपना योगदान दिया।




જમીન અધિકાર માટે જન આંદોલનથરાદ અને આસપાસના સાથીઓ અચૂક આ સંઘર્ષમાં સહભાગી બને... તા. ૨૬/૦૨/૨૦૨૪
25/02/2024

જમીન અધિકાર માટે જન આંદોલન

થરાદ અને આસપાસના સાથીઓ અચૂક આ સંઘર્ષમાં સહભાગી બને...
તા. ૨૬/૦૨/૨૦૨૪

15/02/2024

ચડાસણા વરઘોડા કાંડ.....

જય ભીમ....જય સંવિધાન....આજ રોજ રાષ્ટ્રીય દલિત અધિકાર મંચ ગાંધીધામ ટીમ દ્રારા કિડાણા ગામ ની ગૌચર જમીન ઉપર જે ગેર કાયદેસર ...
06/02/2024

જય ભીમ....
જય સંવિધાન....
આજ રોજ રાષ્ટ્રીય દલિત અધિકાર મંચ ગાંધીધામ ટીમ દ્રારા કિડાણા ગામ ની ગૌચર જમીન ઉપર જે ગેર કાયદેસર દબાણ થયેલ છે તે દૂર કરવા બાબત અંજાર પ્રાંત અધિકારી & મામલતદાર સાહેબશ્રી તથા TDO સાહેબ શ્રી ને આવેદન પત્ર આપવામાં આવેલ છે, જેમાં મોજે કિડાણા ની ગૌચર માં મસમોટા દબાણો કરેલ છે, જે વહેલી તકે દૂર કરી અને ગૌચર જમીન દબાણમુક્ત કરવા માં આવે અન્યથા રાષ્ટ્રીય દલિત અધિકાર મંચ દ્વારા ઉગ્ર થી ઉગ્ર આંદોલન કરી અને ગેરરીતિ પૂર્વક થયેલ દબાણ ને દૂર કરવાની તજવીજ હાથ ધરશે...

આ રજુઆત માં રાષ્ટ્રીય દલિત અધિકાર મંચ ગાંધીધામ તાલુકા અને જિલ્લા ના હોદેદારો જોડાયા હતા...

RDAM कच्छ जिले की टीम ने बरसो पहले खेत मजदूरों को आवंटित की गई जमीन का हक दिलवाने के लिए कच्छ कलेक्टर को ज्ञापन दिया।
06/02/2024

RDAM कच्छ जिले की टीम ने बरसो पहले खेत मजदूरों को आवंटित की गई जमीन का हक दिलवाने के लिए कच्छ कलेक्टर को ज्ञापन दिया।

06/02/2024
05/02/2024

અડવાણીજીને ક્યા યોગદાન માટે ‘ભારતરત્ન’નું સન્માન?

વડાપ્રધાને 3 ફેબ્રુઆરી 2024ના રોજ રામમંદિર આંદોલનના નેતા લાલકૃષ્ણ અડવાણીને દેશનુના સર્વોચ્ચ નાગરિક સન્માન ‘ભારતરત્ન’થી સન્માનિત કરવાની જાહેરાત કરી છે.

વડાપ્રધાને અડવાણીજીની મુલાકાત કરી અભિનંદન આપ્યા છે અને સોશિયલ મીડિયા પર લખ્યું કે ‘ભારતના વિકાસમાં તેમનું યોગદાન બહુમૂલ્ય છે !’

થોડાં પ્રશ્નો :

[1] વડાપ્રધાન સત્તામાં 10 વરસથી છે, અને અડવાણીજીનું ભારતના વિકાસમાં બહુમૂલ્ય યોગદાન હોય તો 10માં વરસે અડવાણીજી યાદ આવ્યા? શું રામમંદિર પ્રાણપ્રતિષ્ઠાથી ઊભા થયેલા ધાર્મિક વાતાવરણને 2024ની લોકસભાની ચૂંટણી સુધી જાળવી રાખવા ભારતરત્નની જાહેરાત કરી હશે? *જો અડવાણીજી ‘ભારતરત્ન’ હતા અને રામમંદિર આંદોલનના નેતા હતા તો 22 જાન્યુઆરી 2024ના રોજ રામમંદિર પ્રાણપ્રતિષ્ઠા વેળાએ ભૂલાઈ કેમ ગયા હતા?*

[2] ભારતના વિકાસમાં અડવાણીજીનું શું યોગદાન છે? તેમણે 1990માં સોમનાથથી રામમંદિર રથયાત્રા શરુ કરી તેના કારણે દેશમાં અનેક નિર્દોષ લોકોના જીવ ગયા ! ભરુચમાં-1/ વિદર્ભમાં-7/ ઈન્દૌરમાં-12/ હૈદરાબાદમાં-30/ રાંચીમાં-12/ કર્નલગંજમાં-46/ લખનૌમાં-3/ મેરઠમાં-7/ મુઝફરપુરમાં-3/ જયપુરમાં-46/ બિજનૌરમાં-58/ રામપુરમાં-3/ અલીગઢમાં-3/ પટનામાં-4/ હાવડામાં-12 લોકો કોમી દંગાઓમાં માર્યા ગયા. શું આ માટે અડવાણીજીને ભારતરત્નનું સન્માન અપાયું હશે?

[3] શું ‘હિન્દુ અસ્મિતા’/ ‘રામભક્તિ’ના કારણે આ સન્માન અપાયું છે? અડવાણીજીએ રામરથયાત્રા શા માટે શરુ કરી હતી? રામભક્તિ માટે? ના, બિલકુલ નહીં. *વી. પી. સિંહે સામાજિક અને શૈક્ષણિક પછાત વર્ગોને ન્યાય આપવા 27% આરક્ષણ રાખવા મંડલપંચનો અમલ કરવાનું નક્કી કર્યું; ત્યારે તેનો સીધો વિરોધ કરી શકાય તેમ ન હતો,* એટલે અડવાણીજીએ ધાર્મિક ઉન્માદ પ્રગટાવવા રથયાત્રાનું આયોજન કરેલ હતું. રામભક્તિ માટે નહીં, માત્ર ‘રામ’ના નામે મંડલનો વિરોધ કરવો હતો !

શું અડવાણીજી સામાજિક/ શૈક્ષણિક પછાત વર્ગોને અન્યાય કરવા ઝૂંબેશ ઉપાડી હતી એટલે તેમને ભારતરત્નનું સન્માન અપાયું હશે?

[4] 1990માં કાશ્મિરમાં મોટા પાયે પંડિતોની હત્યા થઈ રહી હતી, ઘર છોડી ભાગી રહ્યા હતા, ત્યારે કાશ્મિરના ગવર્નર હતા સંધી જગમોહન. એ સમયે અડવાણીજીએ કાશ્મિરી પંડિતોની તરફેણમાં નિવેદન આપેલ? શું તેઓ કાશ્મિર ગયા હતા? કાશ્મીરમાં રથયાત્રા કાઢી હતી? આ મુદ્દે કેન્દ્ર સરકારને આપેલ સમર્થન તેમણે પરત લીધું હતું? ત્યારે ‘હિન્દુ અસ્મિતા’ ક્યાં ગઈ હતી? ન રામભક્તિ હતી, ન હિન્દુ અસ્મિતા હતી, ન તો પછાત વર્ગો પ્રત્યે સંવેદના હતી. શું આ માટે અડવાણીજીને ભારતરત્નનું સન્માન અપાયું હશે?

[5] જ્યારે અડવાણીજી દેશના ગૃહમંત્રી હતા ત્યારે ઈન્ટેલિજન્સ ફેઈલ્યુરની સૌથી મોટી બે ઘટનાઓ બની. પાકિસ્તાની સેના/ આતંકવાદીઓ કારગીલમાં ઘૂસી ગયા ! જેમાં ભારતના સૈનિકો શહિદ થયા, છેવટે વિજય પ્રાપ્ત કર્યો. બીજી ઘટનામાં, આતંકવાદીઓએ સંસદ પર હુમલો કર્યો હતો. શું આ IB/RAWની નિષ્ફળતા ન હતી? તે માટે અડવાણીજી જવાબદાર ન હતા? શું આ માટે અડવાણીજીને ભારતરત્નનું સન્માન અપાયું હશે?

[6] સંધી કટ્ટરવાદીઓ 6 ડીસેમ્બરના રોજ બાબરી મસ્જિદ તોડી તેને ગર્વનો દિવસ મનાવે છે; પરંતુ અડવાણીજીએ તો કહ્યું હતું કે ‘6 ડીસેમ્બર મારી જિંદગીનો સૌથી કાળો દિવસ હતો !’ શું આ કાળા દિવસ માટે અડવાણીજીને ભારતરત્નનું સન્માન અપાયું હશે?

[7] 2005માં અડવાણીજી ભાજપના અધ્યક્ષ હતા અને પાકિસ્તાન ગયા હતા, ત્યારે તેમણે કહેલ કે ‘પાકિસ્તાનના સર્જક જિન્ના મહાન સેક્યુલર નેતા હતા !’ શું આ પ્રશંસા માટે અડવાણીજીને ભારતરત્નનું સન્માન અપાયું હશે? માની લો કે આવું નિવેદન રાહુલ ગાંધીએ આપ્યું હોત તો ઠેરઠેર લાગણી દૂભાઈ ગઈ હોત ને? તેમને જેલમાં પૂરેલ હોત ને?

[8] ગુજરાતના મુખ્યમંત્રી કેશુભાઈ પટેલને કાઢીને પોતાની તાજપોશી કરેલ તે માટે અડવાણીજીને ભારતરત્નનું સન્માન અપાયું હશે?

2002માં વડાપ્રધાન અટલજીએ અમદાવાદમાં તત્કાલિન મુખ્યમંત્રી ‘રાજધર્મ’ નીભાવે તેવી સલાહ આપી હતી, અને અટલજી તેમને ગુજરાતના મુખ્યમંત્રી પદથી હટાવવા ઈચ્છતા હતા, પરંતુ અડવાણીજીએ તેમને બચાવેલ ! શું આ ઉપકાર માટે અડવાણીજીને ભારતરત્નનું સન્માન અપાયું હશે?

સવાલ એ છે કે અડવાણીજીએ દેશ માટે/ લોકો માટે શું કર્યું?

એમનું યોગદાન શું?

તેમણે પક્ષ માટે કામ કર્યું પણ દેશના પછાત વર્ગોના વિરોધી રહ્યા, તેનું શું? ભારતરત્નનું સન્માન કોને આપવું તેની કોઈ નિશ્ચિત નીતિ નથી. લોકસભાની ચૂંટણી હારી જાય તો રાજ્યસભામાં બેસાડી દેવાય છે ! કોઈ નેતાને/ જજને ખુશ કરવા ગવર્નર બનાવાય છે ! તો કોઈ સમુદાયને ખુશ કરવા રાષ્ટ્રપતિ બનાવી દેવાય છે ! આ નીતિ મુજબ ‘ભારતરત્ન’ સન્માન પણ અપાય છે !

- રમેશ સવાણી
ભૂતપૂર્વ આઇપીએસ ગુજરાત

कांशीराम को भारत रत्न मिलना चाहिए या नहीं?
04/02/2024

कांशीराम को भारत रत्न मिलना चाहिए या नहीं?

ધર્માંધ થયેલી નિર્માલ્ય પ્રજા અને અમીરોની ચરણચંપી કરતાં નેતાઓ ભારતને શું ધૂળ વિશ્વગુરુ બનાવવાના??હમણાંથી શાળાઓ બંધ થવાના...
03/02/2024

ધર્માંધ થયેલી નિર્માલ્ય પ્રજા અને અમીરોની ચરણચંપી કરતાં નેતાઓ ભારતને શું ધૂળ વિશ્વગુરુ બનાવવાના??

હમણાંથી શાળાઓ બંધ થવાના અને દવાખાના કંપનીઓને આપી દેવાના સમાચાર છાશવારે જોવા મળે છે. એના અલગ - અલગ કારણો પણ આપવામાં આવે છે. તાજેતરમાં પ્રધાનમંત્રીને લખેલા એક પત્રમાં શિક્ષકોની ઘટને શાળા બંધ થવા માટે જવાબદાર ગણવામાં આવી છે. પરંતુ, શાળા બંધ કરવા માટે તો શિક્ષકોની ઘટ સર્જવામાં આવે છે. સરકારનું કામ ખાલી અમીરોની આગળ લાલ જાજમ પાથરવાનું અને મંદિર બનાવીને ઘંટડીઓ ખખડાવવા પૂરતું સીમિત થતું જાય છે.

પ્રજા નિર્માલ્ય છે જે સરકારમાં બેઠેલા આ ચુંટાયેલા પ્રતિનિધિઓ જાણે છે. તમે મોંઘવારી મુદ્દે નહીં બોલો, અત્યાચાર મુદ્દે નહીં બોલો, બેરોજગારી મુદ્દે નહીં બોલો, લોકોને બેઘર બનાવી દેવામાં આવે એના મુદ્દે નહીં બોલો, મહિલાને નગ્ન કરીને પરેડ કરાવવામાં આવે એમાં તમને કંઈ થતું નથી, બળાત્કારીઓને સજા ના થાય અને એમના હારતોરા થાય ત્યારે પણ તમે ના બોલો, બધી સરકારી સંસ્થાઓ ખાનગી કંપનીઓને બારોબાર પધરાવી દેવામાં આવે એમાં તમને વાંધો નથી તો પ્રજા તરીકે કરવાનું છે શું?

હનુમાન ચાલીસા કરીને, ખાલી શાકોત્સવમાં જઈને જયશ્રી રામ કરીને જ સંતોષ માનવો છે? એમ કરવામાં જ ફાઇલોની સાથે સરકારી શાળા પર નભનારા પરિવારોના બાળકોનું ભવિષ્ય પણ ધુળ ખાઈ રહ્યું છે.

ગરીબોના છોકરા ક્યાં જઈને ભણશે અને એમની પેઢીને આગળ કેવી રીતે લાવશે? અમીરના છોકરા મોંઘી અંગ્રેજી માધ્યમની શાળામાં ભણીને એની પેઢીને એ જ રસ્તે આગળ વધારશે. ગરીબના છોકરાં શું કરશે?

સરકારી શાળા એ ફકત શાળા નથી પણ ગરીબોને પોતાની પેઢીઓની ગુલામીમાંથી મુક્ત કરવાનું હથિયાર છે. સરકારી શાળા એ આશા છે એ ગરીબ માં - બાપની જેમને લાગે છે કે મારું સંતાન ભણીને ઘડપણમાં અમને દુનિયાના દર્શન કરાવશે.
આ પેઢી ભણ્યા વગર ચા ની લારી પર રકાબીઓ ધોવા અને કપડાની દુકાનોમાં કપડાં વાળીને મૂકવા મજબુર બનવાની છે. મુઠ્ઠીભર અમીરોથી ભારત વિશ્વગુરુ બની જશે? નેતા કે પ્રજાને ક્યાં પડી છે પણ. પ્રજા તો કેસરી બંડી પહેરીને ધૂન બોલાવવામાં મસ્ત છે.
એટલે જ લાગે છે કે ધર્માંધ થયેલી નિર્માલ્ય પ્રજા અને અમીરોની ચરણચંપી કરતાં નેતાઓ ભારતને શું ધૂળ વિશ્વગુરુ બનાવવાના??
- સુબોધ કુમુદ

जिनको लगता है की एट्रोसिटी एक्ट खतम कर देना चाहिए उनको यह अवश्य देखना चाहिए।
02/02/2024

जिनको लगता है की एट्रोसिटी एक्ट खतम कर देना चाहिए उनको यह अवश्य देखना चाहिए।

01/02/2024

જાતિ આધારિત ભવનો બનાવવાનો ખ્યાલ જ જાતિ પ્રથાની દેન છે.

જાતિ આધારિત ભવનો જાતિવાદ મજબૂત કરે છે.
એસ.સી. અંતર્ગત આવતી જાતિઓનું સામુહિક હિત આંતરિક જાતિ પ્રથાનું વિસર્જન કરીને એક એસ.સી. વર્ગ તરીકે, એક એસ.સી. સમાજ તરીકે સંગઠિત થવામાં છે.

આ કોમન ઇન્ટરેસ્ટની જાણ હોવા છતાં ફક્ત રાજકીય કદ વધારવા માટે અને બીજા અંગત વેસ્ટેડ ઇન્ટરેસ્ટથી પ્રેરાઈને દલિતોની મોટી બે જાતિઓમાં રહેલા "ભણેલા-ગણેલા પણ બાબાસાહેબનાં ગદ્દાર" કહીએ તો ખોટું ના ગણાય એવા લોકો અલગ અલગ ભવનો બનાવવાની હોડમાં લાગ્યા છે.

આ હોડ દલિતોમાં આંતરિક જાતિભેદ મજબૂત કરશે અને દલિત જાતિઓનાં સામુહિક હિતોનું નુકશાન કરશે.
*પણ કોને પડી છે?

- જગદીશ સોલંકીની ફેસબુક પોસ્ટ પરથી

રમેશ સવાણી લખે છે....આટલા ગંભીર ગુનામાં મામૂલી સજા?17-18 વર્ષની ઉમંરે બોગસ માર્કશીટના આધારે ઉત્પલ પટેલે મેડિકલમાં પ્રવેશ...
01/02/2024

રમેશ સવાણી લખે છે....

આટલા ગંભીર ગુનામાં મામૂલી સજા?

17-18 વર્ષની ઉમંરે બોગસ માર્કશીટના આધારે ઉત્પલ પટેલે મેડિકલમાં પ્રવેશ મેળવ્યો અને ડોકટર પણ બની ગયો. હવે તેની ઉંમર 61 વરસની થઈ, આખી જીંદગી ડોકટર તરીકે પ્રેક્ટિસ કરી, હાલે પણ પ્રેક્ટિસ ચાલુ છે ત્યારે 33 વરસ બાદ અમદાવાદના એડિશનલ ચીફ મેટ્રોપોલિટન મેજિસ્ટ્રેટ પવનકુમારે તેમને 3 વર્ષની સજા અને 10,000નો દંડ કરેલ છે !

ઉત્પલ પટેલ ધોરણ 12 સાયન્સમાં 800માંથી 398 માર્ક્સ સાથે 49% એ પાસ થયો હતો. તેને MBBSમાં એડમિશન મળે તેમ ન હતું. તેથી તેણે 800માંથી 547 માર્ક્સ, 68% વાળી નકલી માર્કશીટ તૈયાર કરી 28 જુલાઈ 1980ના રોજ ગેરકાયદે રીતે બી.જે.મેડિકલ કોલેજમાં પ્રવેશ મેળવી લીધો હતો. 7 જુલાઈ 1991માં જ તેની સામે શાહીબાગ પોલીસ સ્ટેશનમાં IPC કલમ-420/ 468/ 471 હેઠળ ગુનો દાખલ થયો હતો.

થોડાં પ્રશ્નો : [1] આપણું ન્યાયતંત્ર કેટલું ગોકળગાયની ગતિએ ચાલે છે, તેનું આ ઉદાહરણ નથી? જુલાઈ 1991માં ગુનો દાખલ થયો અને 30 જાન્યુઆરી 2024માં 33 વરસે સજા થઈ ! ગુનો થયાના 43 વરસે સજા ! આરોપી અને તેના વકીલે કેસને લાંબાવવા અનેક પ્રકારની તારકીબો કરી, કાયદાની પ્રોસેસનો દુરુપયોગ કરવા જુદા જુદા પ્રકારની અરજી આપી હશે. નીચેની કોર્ટમાં જે અરજી આપે અને તેમાં કોર્ટ જે હુકમ કરે તેમાં અપીલ કે રીવિઝન કરી નીચેની કોર્ટમાં કેસ ન ચાલે તે માટે સ્ટે મેળવેલ હશે. અપીલ કે રીવિઝનમાં જે હુકમ થાય તેની વિરુદ્ધ તેનાથી ઉપરની અદાલતમાં અપીલ કરી ફરીથી સ્ટે મેળવેલ હશે. તેમ કરીને કેસ જેટલો લાંબો ખેંચાય તેટલો ખેંચીને વરસોના વરસો કાઢી નાખ્યા હશે. તેમાં પબ્લિક પ્રોસિકયુટરો અને કોર્ટો પણ જવાબદાર હોઈ શકે. સામાન્ય રીતે આવા અઘરા અથવા સજા કરવી પડે તેવા ફોજફારી કેસો ચલાવતા મેજિસ્ટ્રેટો ડરતા હોય છે. તેમાં મહેનત વધુ કરવી પડે. સમય વધુ બગડે. કંઈક ભુલ થાય તો હાઇકોર્ટ તેની વિરુદ્ધ પગલા લેશે તેવો ડર હોય છે. સહેલા કેસોનો નિકાલ જલ્દી થાય તો વધુ સંખ્યામાં કેસોની પતાવટ થાય તો ફટાફટ પ્રમોશન મળે આવા અનેક કારણોસર કોર્ટો અઘરા કેસો ચલાવતી નથી. એટલે તારીખ પછી તારીખ ! ત્રણ વરસમાં બદલી થવાની હોય એટલે લાંબી લાંબી તારીખો નાખ્યે રાખે. બદલી થવાની રાહ જુવે. તેની જગ્યાએ નવા મેજિસ્ટ્રેટ આવશે તે ચલાવશે તેવી ખોરી નીતિથી આવા કેસો ચાલતા હોતા નથી. શું આ સત્ય નથી? [2] પોલીસ ઈન્વેસ્ટિગેશનની કમાલ જૂઓ ! 17 વર્ષનો ઉત્પલ પટેલ એક જ ગુનેગાર? કોઈની મદદગારી વિના આવું શક્ય છે? [3] મેડિકલની દરેક એક્ઝામનાં તે કઈ રીતે પાસ થયો હશે? [4] મેડિકલમાં એડમિશન પછી માર્કશીટની ખરાઈ નહીં થઈ હોય? જેમની ખરાઈ કરવાની જવાબદારી હતી તે આરોપી બને કે નહીં? MBBS પૂરું થયા સુધી ખરાઈ નહીં થઈ હોય? જો અધવચ્ચે નકલી માર્કશીટની ખબર પડી તો તે સમયે પગલાં કેમ ન લેવાયા? [5] IPC કલમ-420/ 468/ 471 હેઠળ 7-7-7 વરસની કેદ થઈ શકે, છતાં 7 વરસની કેદ છોડો 5 વરસની સજા પણ નહીં? અને મામૂલી દંડ? આ તે કેવું ન્યાયતંત્ર? હજુ ઉત્પલ પટેલ જેલમાં જશે નહીં ! ચુકાદા વિરુદ્ધ સિટી સિવિલ અને સેશન્સ કોર્ટમાં અપીલ કરશે. સજા વિરુદ્ધ સ્ટે મેળવશે. તે અપીલ ચાલતા વરસો લાગશે. તેમાં જે ચુકાદો આવશે તેમાં નિર્દોષ છૂટી જવાની રાહ જોશે. નિર્દોષ છૂટી જાય તો સરકાર અપીલ કરશે કે કેમ તે નક્કી નથી હોતું. માની લો કે અપીલના ચુકાદામાં સજા યથાવત રહી તો તેની વિરુદ્ધ હાઇકોર્ટમાં અપીલ કરશે ! હાઇકોર્ટમાં પણ અનેક કેસોનો ભરાવો છે. ત્યાં પણ વરસો વીતી જશે. હાઇકોર્ટના ચુકાદા વિરુદ્ધ સુપ્રિમકોર્ટમાં ! દરમિયાન આરામથી સ્વર્ગનો રસ્તો પકડશે ! આવી સજાનો કોઈ અર્થ ખરો? [6] જે લોકો SC-ST અનામત માટે ગોકીરો કરે છે તેમના ગાલે આ ઘટનાએ તમાચો માર્યો નથી?rs
Savani

Address

104 Chuval Nagar Part 2 Bhargav Road
Ahmedabad
380016

Telephone

+918490919812

Website

Alerts

Be the first to know and let us send you an email when Rashtriya Dalit Adhikar Manch posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Videos

Share

Category